PM Kisan Yojana e-KYC: પીએમ કિસાનના લાભાર્થીઓ માટે સરકાર દ્વારા એક ખાસ સમાચાર જારી કરવામાં આવ્યા છે. જેમ તમે બધા જાણો છો કે પીએમ કિસાન યોજનાનો લાભ દેશના નાના અને સીમાંત ખેડૂતોને આપવામાં આવે છે. આ યોજનામાં, ખેડૂત નાગરિકને 6 હજાર રૂપિયા આપવામાં આવે છે, જે દર 4 મહિનાના અંતરાલમાં 3 હપ્તામાં (2 હજારના સમાન હપ્તા) આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળના 9 હપ્તાના નાણાં ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા છે અને ખેડૂતો 10મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સરકાર દ્વારા 10મો હપ્તો 15 ડિસેમ્બર, 2021 સુધીમાં લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલી શકાય છે. આ સાથે જો કોઈ ખેડૂતને 9મા હપ્તાના પૈસા ન મળ્યા હોય તો તેના ખાતામાં કુલ 4000 રૂપિયા મોકલવામાં આવશે. પરંતુ જો તમે હજુ સુધી તમારું KYC પૂર્ણ કર્યું નથી, તો તમારા હપ્તા અધવચ્ચે અટકી શકે છે. અમને જણાવો કે તમે કેવી રીતે e-KYC પૂર્ણ કરી શકો છો, જેના પછી હપ્તાના પૈસા તમારા ખાતામાં પહોંચી જશે.
યોજનાનું નામ | પીએમ કિસાન સન્માન નિધિ યોજના |
ભાષા | ગુજરાતી અને English |
બજેટ | 2019-2020 |
ઉદ્દેશ | ખેડૂતોની આવક વધારવા માટે |
લાભાર્થી | દેશના નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ |
સહાયની રકમ | 6000 વાર્ષિક |
અધિકૃત વેબસાઈટ | https://pmkisan.gov.in/ |
આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો આ રીતે eKYC કરો.
તમે જ્યારે પોતાનું આધારકાર્ડ બનાવેલ હોય ત્યારે જો મોબાઇલ નંબર add કરાવેલ હોય તો સરળતાથી વેરિફિકેશન કરાવી શકો છો. આ વેરિફિકેશન તમે ઘરે બેઠા પણ કરી શકો છો. આ વેરિફિકેશન PM Kisan Sanmaan Nidhi ના official portal પરથી વિનામૂલ્યે કરી શકો છો. તમારી જાતે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કેવી રીતેeKYC કરી શકાય તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
● સૌથી પહેલાં ભારત સરકારના pm kisan પોર્ટલ પર જાઓ.
● આ પોર્ટલ પર Home Page પર farmer corner પર જાઓ.
● આ Farmer Corner માં eKYC પર ક્લિક કરો.
● હવે નવું પેજ ખુલશે તેમાં આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.
● આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરો.
● તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP તે બૉક્સમાં નાખવાનું રહેશે.
● ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
● ત્યારબાદ તનારા આધારકાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.
● છેલ્લે તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.
આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય ત્યારે આ રીતે કરો eKYC
આધારકાર્ડ યોજના અમલમાં આવી ત્યારે મોબાઈલ નંબર ફરજિયાત રીતે દાખલ નહોતા કરતા. પરંતુ હવે નવું આધારકાર્ડ કઢાવવા જાઓ ત્યારે ફરજિયાત મોબાઈલ નંબર માંગવામાં આવે છે. જો તમે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવેલ નથી અને તમારે પીએમ કિસાન સન્માન નિધિ માટે eKYC કરાવવું પણ શક્ય છે.
જો તમારા આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય અને eKYC કરાવવું છે, તો તમારે નજીકના Comman Service Centre (CSC) પરથી કરાવી શકો છો. CSC Center પર રૂબરૂ જઈને તમે કિસાન સન્માન નિધી યોજના માટે eKYC કરાવી શકો છો.
FAQ’S of PM Kisan- eKYC
- (પ્રશ્ન-1) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનામાં ekyc કઈ વેબસાઈટ પરથી કરી શકાશે?
- જવાબ:- ખેડૂતોઓએ PM Kisan માટે eKYC ભારત સરકારની આ https://pmkisan.gov.in વેબસાઈટ પરથી કરી શકશે.
- (પ્રશ્ન-2) ખેડૂતો આ યોજના માટે કેવી રીતે e-KYC કરી શકશે.
- જવાબ:- આ યોજના માટે ખેડૂતો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે e-KYC કરી શકશે.
- (પ્રશ્ન-3) PM Kisan Yojana માટે e-KYC માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.?
- જવાબ:- હા, ખેડૂતોઓએ આ KYC કરવા માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.
- (પ્રશ્ન-4) પીએમ કિસાન સન્માન નિધી યોજનામાં આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો કેવી રીતે e-KYC કરી શકાય?
- જવાબ:- જો ખેડૂતને પોતાના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો CSC CENTER સાથે રૂબરૂ જઈને e-KYC કરાવી શકે છે.
Important links of PM Kisan Yojana
PM Kisan Official Website | Click Here |
New Farmer Registration | Click Here |
Direct eKYC Link | Click Here |
Edit Aadhaar Failure Records | Click Here |
Beneficiary List | Click Here |
Download PMKISAN Mobile App |
Download Now |
Download KCC Form | Download Now |
Home Page | Click Here |